facebook pixel
ચૂંટણીના પરિણામો પર વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા છે. આજે આમ આદમી પાર્ટીના જે પ્રતિનિધિઓની જીત થઈ છે એ હકીકતમાં સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, આ જીતને અમે સહર્ષ સ્વીકારીએ છીએ. એક બાજુ ઘમંડ, પૈસા, દારૂ, પ્રલોભન, ધાકધમકી હતી અને બીજી બાજુ હક અધિકારની વાત હતી અને લોકશાહી જીવંત રાખવા તથા સંવિધાન બચાવવાની વાત હતી, ત્યારે આજે જનતાની જીત થઈ છે વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, કોઈના પણ ડરમાં આવ્યા વગર અને કોઈપણ પ્રકારના લોગ લાલચમાં આવ્યા વગર જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે, એના માટે અમે જનતાનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિઓ અને અમારા પાર્ટીના તમામ લોકો જનતાની સેવા માટે તત્પર રહેશે અને આખા ગુજરાતમાં અમે બીજા નંબર પર આવ્યા છીએ અને જનતાએ અમારા પર જે ભરોસો મૂક્યો છે, એ બદલ જનતાનો આભાર અને અમે જનતાની સેવા માટે હંમેશા તૈયાર રહીશું. #aap #aapkichoiceaapkekalakaar #cheat chetar_vasava_11

 10.1k

 201

 10.1k

    Suggested Credits
    Tags, Events, and Projects