અમરનાથ યાત્રાળુઓ માટે માઠા સમાચાર: માત્ર ૫ જ દિવસમાં બાબા બર્ફાનીનું પવિત્ર શિવલિંગ અદ્રશ્ય થયું! આખું વર્ષ જે ક્ષણની રાહ જોવાય છે તે પવિત્ર અમરનાથ યાત્રામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને ભક્તોની ભારે ભીડના કારણે ગુફામાં રહેલું કુદરતી બરફનું શિવલિંગ આ વર્ષે માત્ર પાંચ દિવસમાં જ પીગળી ગયું છે. ગયા વર્ષે શિવલિંગ ૭ દિવસ સુધી રહ્યું હતું.
જોકે, શિવલિંગ અકાળે પીગળી ગયું હોવા છતાં ભક્તોની શ્રદ્ધા અકબંધ છે અને ૩ જુલાઈથી શરૂ થયેલી આ યાત્રામાં પ્રથમ સપ્તાહમાં જ રેકોર્ડબ્રેક ૧,૦૦,૦૦૦ ભક્તો દર્શન કરી ચૂક્યા છે.
#AmarnathYatra#BabaBarfani#AmarnathCave#BreakingNewsGujarati#GlobalWarming#Shivalingam#HarHarMahadev#KashmirTourism#AmarnathUpdate#TrendingNewsGujarati