SAMACHAR DIARY 24x7 on Instagram: "મહેસાણા: પાટીદાર અનામત આંદોલનને ૧૧ વર્ષ પૂર્ણ થતાં લાલજી પટેલનો હાર્દિક પટેલ પર પ્રહાર!
પાટીદાર અનામત આંદોલનના ૧૧ વર્ષ પૂર્ણ થવા પર SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે હાર્દિક પટેલને આડે હાથે લેતા જણાવ્યું કે, જ્યારે વિસનગરમાં ફરિયાદ થઈ ત્યારે તેને કોઈ ઓળખતું પણ નહોતું. હાર્દિકે આંદોલનના સહારે માત્ર રાજનીતિ કરી છે. આંદોલનથી જેઓ નેતા બની ગયા તેમને જ ફાયદો થયો છે, જ્યારે સમાજના ૧૪ દીકરાઓ શહીદ થયા. લાલજી પટેલે આક્ષેપ કર્યો કે ગઈકાલ સુધી જેમની પાસે એક રૂપિયો નહોતો, તેવા આંદોલનના કેટલાક નેતાઓ આજે વૈભવી જીવન જીવી રહ્યા છે.
જુઓ લાલજી પટેલની સંપૂર્ણ બાઈટ અને વધુ વિગતો માટે પેજને ફોલો કરો.
#LaljiPatel #HardikPatel #MehsanaNews #PatidarAndolan #SPG #GujaratPolitics #BreakingNewsGujarati #PatidarAnamatAndolan #MehsanaUpdates #TrendingNewsGujarati"