યુ.એન. મહેતા હોસ્પિટલમાં મોટી દુર્ઘટના: શ્રમિકના મોત બાદ ભારે હોબાળો, ૨૦૦ કર્મચારીઓ હડતાળ પર!
અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગઈકાલે ડ્રેનેજ લાઈનમાં ગેસ ગળતર થતાં ત્રણ શ્રમિકો ફસાયા હતા. સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત નીપજતાં આજે હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો છે. સેફ્ટી વિના કામ કરાવવાના આક્ષેપ સાથે આજે ૨૦૦ જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. પરિસ્થિતિને જોતાં હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વધુ વિગતો માટે પેજને ફોલો કરો.
#UNMehtaHospital#AhmedabadNews#BreakingNewsGujarati#GujaratNews#HospitalAccident#GasLeakage#AhmedabadUpdates#LiveNewsGujarati#TrendingNews