SAMACHAR DIARY 24x7 on Instagram: "ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના મહેસાણા વિભાગ હેઠળ બેચરાજી ડેપોમાં એ.ટી.આઈ. તરીકે ફરજ બજાવતા ઈસ્માઈલભાઈ અલ્લારખા ડોગા 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા બાદ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. તેમના સન્માનમાં બેચરાજી ખાતે વિદાય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં એસ.ટી. મહેસાણા વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ એસ. ચૌધરી, બેચરાજીના ધારાસભ્ય ડૉ. સુખાજી ઠાકોર, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક આગેવાનો, અધિકારીઓ, સહકર્મીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ઈસ્માઈલભાઈની ત્રણ દાયકાની નિષ્ઠાવાન સેવા અને મુસાફર હિતમાં આપેલા યોગદાનને બિરદાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
#Becharaji#Mehsana#GSRTC#STDepot#Retirement#FarewellCeremony#PublicService#GovernmentEmployee#GujaratNews#MehsanaNews#BreakingNews#LatestNews#SamacharDiary#IndiaNews#Recognition"