facebook pixel
મહેસાણાના સોમનાથ રોડ પર આવેલા પંડિત દીનદયાળ નગર આવાસ યોજનામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ધોરણ-7માં અભ્યાસ કરતી એક કિશોરીએ અગમ્ય કારણોસર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. મૃતક કિશોરી નજીકની શિવકૃપા સોસાયટીમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્થળ પર એકત્ર થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. #Mehsana #BreakingNews #GujaratNews #MehsanaNews #PoliceInvestigation #TragicIncident #Student #LocalNews #SomnathRoad #LatestNews #CrimeNews #EmergencyResponse #NewsUpdate #SamacharDiary

 101

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects