facebook pixel
અમદાવાદ આજે ભગવાન જગન્નાથજીના રંગમાં રંગાઈ ગયું છે. 'જય જગન્નાથ'ના ગગનભેદી નાદ વચ્ચે 149મી ઐતિહાસિક રથયાત્રા ભવ્ય રીતે નગરચર્યાએ નીકળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના રથો સાથે 18 ગજરાજ, 101 થીમ આધારિત ટેબ્લો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ યાત્રાનું આકર્ષણ બન્યા છે. ભક્તો માટે માર્ગ પર મગ અને જાંબુના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાની સુરક્ષા માટે 30 હજારથી વધુ પોલીસ જવાનો, AI આધારિત ફેસ રેકગ્નિશન સિસ્ટમ, એન્ટી-ડ્રોન ટેક્નોલોજી અને 100થી વધુ ડ્રોન કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. ભક્તોની ભારે ભીડ વચ્ચે સમગ્ર અમદાવાદ ભક્તિ, પરંપરા અને એકતાના રંગમાં રંગાઈ ગયું છે. #Ahmedabad #JagannathRathYatra #RathYatra2026 #JayJagannath #Jagannath #Bhakti #Faith #AmitShah #BhupendraPatel #PahindVidhi #JagannathTemple #AhmedabadNews #GujaratiNews #BreakingNews #Gujarat #Festival #IndianCulture #Akhada #Tableau #Police #ViralReel #In...

 7

    Suggested Credits
    Tags, Events, and Projects