હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીઓ બંધ કરવાની જાહેરાત કર્યા બાદ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે. પરંતુ આ નિર્ણય પાછળ માત્ર કાયદાકીય ચુંગલ છે કે પછી વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની આક્રમક રજૂઆત મહદંશે જવાબદાર છે? એક તરફ વિજ્ઞાન જાથા ચોક્કસ વૈજ્ઞાનિક આધાર અને ખેડૂતોના આર્થિક હિતોની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ વર્ષોથી પ્રકૃતિના સંકેતો અને વૈદિક અનુભવના આધારે આગાહી આપતા વડીલ અંબાલાલ પટેલ આક્ષેપોથી દુઃખી થયા છે. સંવાદને બદલે કાયદાકીય ધમકીઓ અને જાહેર કડવાશના કારણે આજે એક અનુભવી નિષ્ણાત વિવાદથી દૂર થઈ ગયા છે.
#AmbalalPatel#JayantPandya#VigyanJatha#WeatherControversy#AmbalalVsVigyanJatha#GujaratWeather#GujaratFarmers#ScienceVsFaith#BreakingNewsGujarat#SamacharDiary