હવાઈ મુસાફરી કરતા નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે, જ્યાં એરલાઈન્સ દ્વારા કરવામાં આવતા મનસ્વી અને અનિયંત્રિત ટિકિટ ભાડા વધારા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. મુસાફરોને ટિકિટના અનિયંત્રિત દરોમાંથી મુક્તિ અપાવવા અને ભાડા પર યોગ્ય અંકુશ લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં દાદ માગવામાં આવી છે. આ સાથે જ સમગ્ર નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા માટે એક સ્વતંત્ર નિયામક સંસ્થા (Independent Regulator) ની રચના કરવાની માગ કરતી અરજી પર જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠ સુનાવણી કરશે. દેશના લાખો હવાઈ મુસાફરોના હિતમાં આ સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વનો નિર્ણય આવવાની શક્યતા છે.
#AirfareCap #SupremeCourt #AviationNews #AirPassengers #FlightTickets #JusticeVikramNath #IndependentRegulator #BreakingNews #TravelUpdates #SamacharDiary