ભારત અને નેપાળ વચ્ચે વ્યુહાત્મક ઊર્જા સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી કાઠમંડુ ખાતે બે દિવસીય ઉચ્ચ સ્તરીય ઊર્જા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય ઊર્જા સચિવ પંકજ અગ્રવાલ કરશે. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વીજ વેપાર અને નવી ટ્રાન્સમિશન લાઈનોના નિર્માણ અંગે વિગતવાર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. આ સાથે જ નેપાળમાંથી ભારત તરફ થનારી ૧૦,૦૦૦ મેગાવોટ વીજ નિકાસના મહત્વકાંક્ષી કરારની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવશે.
#IndiaNepal#EnergyMeeting#Kathmandu#PowerSector#PankajAgarwal#ElectricityTrade#InternationalRelations#BreakingNews#EnergyCooperation#SamacharDiary