અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે ૧૪૯મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનું ધામધૂમથી આયોજન કરવામાં આવશે. આ ઉત્સવને લઈને મંદિર પરિસરમાં ૧૮ ગજરાજોનું ભવ્ય આગમન થઈ ચૂક્યું છે, જેને જોવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. આ વર્ષે રથયાત્રામાં એક ખાસ ઐતિહાસિક પળ જોવા મળશે, જ્યાં ૨૫ વર્ષના લાંબા સમયગાળા બાદ વાસણ શેરીમાં ભગવાનનું મોસાળુ અને મામેરું ભરાશે. બીજી તરફ, ભક્તોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા તંત્ર દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલા ૫૪૪ જેટલા જર્જરિત મકાનો પર નેટ બાંધી દેવામાં આવી છે અને ૩૧ અત્યંત જોખમી મકાનોના ભાગો ઉતારી લેવામાં આવ્યા છે.
#AhmedabadRathyatra#Rathyatra2026#149thRathyatra#JagannathTemple#JayJagannath#AhmedabadNews#RathyatraPreparation#SafetyFirst#BreakingNewsGujarat#LiveUpdates#SamacharDiary