facebook pixel
ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં આજે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે એકસાથે 28 IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર કરી છે. રાજ્યપાલની મંજૂરી બાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આદેશો બહાર પાડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ નિમણૂકોમાં ગૌરાંગ એચ. મકવાણાને UGVCL મહેસાણાના મેનેજિંગ ડિરેક્ટર, કે. જે. રાઠોડને DGVCL સુરતના મેનેજિંગ ડિરેક્ટર અને એમ. ડી. ચૂડાસમાને PGVCL રાજકોટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત GIDC, વિવિધ મહાનગરપાલિકાઓ અને અનેક મહત્વના વિભાગોમાં પણ નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, દાહોદ અને ડાંગ જિલ્લામાં નવા જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ વહીવટી ફેરફારનો હેતુ શાસન વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ, ઝડપી અને અસરકારક બનાવવાનો છે. #Gujarat #IAS #IASTransfer #GujaratGovernment #GAD #UGVCL #DGVCL #PGVCL #DDO #Administration #BreakingNews #GujaratNews #PoliticalNews #GujaratiNews #LatestNews #NewsUpdate #SamacharDiary24x7 #Government #Bureaucracy #Gujar...

 14.4k

 244

 14.4k

    Suggested Credits
    Tags, Events, and Projects