સુરતના કતારગામ વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દે તેવી અને રહસ્યમય ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમલગ્નના બરાબર એક વર્ષ બાદ પ્રથમ મેરેજ એનિવર્સરીના દિવસે જ પતિ-પત્નીના કરૂણ મોત નીપજ્યા છે. ૨૩ વર્ષીય પતિ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે ૧૯ વર્ષીય પત્ની રૂમમાં જમીન પર મૃત હાલતમાં મળી આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે એક દિવસ પહેલા જ બંનેએ એનિવર્સરી ઉજવવા માટે નવા કપડાં અને કેક ખરીદ્યા હતા, પરંતુ "કાલે કેક કાપીશું" કહીને સૂતેલા દંપતીની તે 'કાલ' ક્યારેય ન આવી. આ ઘટના બાદ બંને પરિવારોમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. હાલ કતારગામ પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. શું આ મામલો આત્મહત્યાનો છે કે પછી પ્રેમકહાનીના આ રહસ્યમય અંત પાછળ કોઈ ઊંડો ખેલ છુપાયેલો છે,
[Surat Crime News, Katargam Surat News, Katargam Couple Death, Surat Marriage Anniversary Tragedy, Surat Katargam News Today, Crime Diary Gujarat, Surat Police Investigation, Surat Suspicious Death Case, Gujarati Crime News, Samachar Diary Gujarat]
#SuratNews #Katargam #CrimeDi...