બોલીવુડ અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન બાદ વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે એક કથિત પત્ર અને ઓડિયો નોટ જાહેર કરીને આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્નને 'લવ જેહાદ' ગણાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો દાવો કરાયો છે. જોકે, આ વિવાદ વચ્ચે આમિર ખાને અગાઉ જ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેમના ત્રણેય લગ્ન સિવિલ મેરેજ હતા, તેમની કોઈ પત્નીએ ધર્મ પરિવર્તન કર્યું નથી અને ગૌરી સ્પ્રેટ હિન્દુ નહીં પણ ખ્રિસ્તી છે. આ સમગ્ર મામલે સૌથી મહત્વની વાત એ છે કે મુંબઈ પોલીસ કે આમિર ખાનની ટીમ તરફથી આ ધમકી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે નિવેદન સામે આવ્યું નથી, જેથી આ દાવાઓ માત્ર અફવા પણ હોઈ શકે છે.
#AamirKhan#LawrenceBishnoi#BollywoodNews#AamirKhanMarriage#GauriSpratt#MumbaiPolice#BreakingNewsIndia#CelebrityUpdates#SocialMediaViral#SamacharDiary#BishnoiGang#AnmolBishnoi#SRK#salmankhan