facebook pixel
મહેસાણા જિલ્લાના વિસનગરમાં હરિહર સેવા મંડળ દ્વારા ભગવાન જગન્નાથજીની 46મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ સાથે યોજાઈ. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને તરભ વાળીનાથ મહંત જયરામગીરી મહારાજના હસ્તે આરતી-પૂજન બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું.રથયાત્રામાં ભજન મંડળીઓ, મહિલા રાસ, રામાયણ-મહાભારત આધારિત સાંસ્કૃતિક ઝાંખીઓ, પોલીસ બેન્ડ, સિદ્ધપુર બેન્ડ, સ્કેટિંગ ટીમ, આદિવાસી લાકડી નૃત્ય, બગીઓ અને અન્ય અનેક આકર્ષણો જોડાયા હતા. માર્ગમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડુ પાણી, લીંબુ શરબત, છાસ અને મહાપ્રસાદની સેવા પણ કરવામાં આવી હતી. #Visnagar #Mehsana #JagannathRathYatra #RathYatra2026 #JayJagannath #RishikeshPatel #HariharSevaMandal #GujaratiNews #BreakingNews #Gujarat #Devotion #Bhakti #Festival #CulturalHeritage #VisnagarNews #MahesanaNews #ViralReel #InstagramReels #SamacharDiary24x7 #NewsUpdate

 2k

 20

 2k

    Suggested Credits
    Tags, Events, and Projects